દેવ નારાયણ ગૌ ધામ મોતામાં સ્વ. પુષ્પા માતાજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

બારડોલી ના મોતા ગામે આવેલ દેવ નારાયણૢ ગૌધામ ખાતે પૂ. તારાચંદ બાપુ ના દ્વારા માતૃ શ્રી પુષ્પા બા ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કથાકાર પ્રફુલ ભાઇ શુક્લ ના પ્રમુખ સ્થાને ગો ધામ ખાતે યોજાયો હતો. જેમાં કથાકાર મુકેશ ભાઈ ઓઝા સહિત સુરત, ઉધના, મુંબઈ અને અમદાવાદ ખાતે રહેતાં દેવ નારાયણ પરિવારના સદ્દસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આશીર્વચન આપતાં પ્રફુલ ભાઈ શુક્લ એ જણાવ્યું કે પવિત્ર ગો ધામ મોતા ચલાવવામાં આવતાં સેવાકીય કાર્યો ની પ્રેરણા પૂજ્ય પુષ્પા બા તરફ થી સતત મળતી રહેતી હતી. આજે જ્યારે તેઓ સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત નથી ત્યારે તેમની દિવ્ય આત્મા ને પ્રભુ ચરણોમાં અવશ્ય સ્થાન મળશે. અંતમાં કિરણભાઈ દેસાઈએ ધામ નો પરિચય આપ્યો હતો અને મહા પ્રસાદી બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.