ઊંઝામાં બે અપક્ષ ઉમેદવાર દ્વારા ભાજપ તરફી સમજૂતી કરાર લેખ કર્યો છે. ભાજપને સમર્થન આપી ઠાકોર સમાજ સાથે વિશ્વાસઘાત કરી રમેશ ઠાકોર અને અરવિંદજી ઠાકોર નામના અપક્ષ ઉમેદવારોએ સ્ટેમ્પ ઉપર કરાર લેખ કર્યો છે. આ સમજૂતી કરાર લેખ કરી ભાજપના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. ભાજપના ઉમેદવરના પ્રચાર દરમિયાન અપક્ષ ઉમેદવારોને ભાજપના વિકાસ કાર્યોનો અહેસાસ થયો હોવાનો કરાર લેખમાં ઉલ્લેખ કર્યુ હતું.

રાજનીતિનું એક નવું સ્વરૂપ ઊંઝામાં જોવા મળ્યું છે જેમાં અપક્ષ ઉમેદવારએ સ્ટેમ્પ પેપર ઉપર સમજૂતી કરાર લેખ કર્યા છે. અપક્ષમાં ફોર્મ ભરનારા ઠાકોર અરવિંદજીએ ઠાકોર સમાજ સાથે બેઠક કરી હતી અને વિશ્વાસમાં લઈને ફોમ ભર્યું હતું. પરંતુ છેલ્લે ભાજપ સાથે બંધ બારણે મિટિંગ કરીને બન્ને ઉમેદવાર ભાજપમાં સમર્થન કર્યું હતું. જેને લઈને ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.