ધાનેરા શહેરમાં આજ રોજ બહુજન સમાજ પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો, જેમાં આજ રોજ 26/11/2022ના ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે લાલ ચોક ખાતે આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુને ફૂલહાર કરી પ્રચાર અભિયાનને શરૂ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણી પ્રચાર અભિયાનમાં ખુદ ઉમેદવાર પ્રકાશભાઈ.આર.સોલંકીએ તેમના કાર્યકર્તા, સમર્થકો સાથે પ્રચારમાં ધાનેરા શહેરના દરેક ઘરે ઘરે અને મોહલ્લે મોહલ્લે ડોર ટુ ડોર જન સંપર્ક કરવામાં આવ્યો હતો.

   આ ડોર ટુ ડોર પ્રચાર શહેરના લાલ ચોક, આમ્બેડકર ચોક, લાધાપુરા વિસ્તાર, ડી.બી.પારેખ, જવાહર ચોક, લીમડા ચોક, નગરપાલિકા વિસ્તાર,મેમણ શેરી, વોરા વાસ, ભિલવાસ, સુભાષ રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, નેનાવા ત્રણ રસ્તા, સોલંકી નગર, હિંગળાજનગર, કૈલાશ નગર, શિવનગર, ઉમિયાનગર, શેરપૂરા, વાલ્મીકિ વાસ, વલાણીબાગ, પટેલ સોસાયટી, ઠાકોર વાસ વગેરે અલગ અલગ વિસ્તારોમાં જઈ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો.

   ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયેલા તમામ કાર્યકર્તા, સમર્થકોનો ઉમેદવાર પી.આર.સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર :- તુલસી બોઘુ, ધાનેરા