ડીસા(મેરૂજીપ્રજાપતિ) સર્વગીવિક્સની નેમસાથે દિયોદર વિધાનસભાના ઉમેદવાર કેશાજીચૌહાણ દિયોદર વિધાનસભાના ગામોમાં ચૂંટણીપ્રચાર કરીરહેલછે. મતદાતાઓ ગતટર્મકરેલી ઢીલાશના કારણે માત્ર હજારેકમતથી પરાજીતથયેલ ત્યારે ભાજપ ના હોદેદારો કાર્યકર્તાઓ સમર્થકો જાગૃતતા દાખવી સક્રિય બન્યાછે.અને સમર્થકોની સક્રિયતાથી કેશાજીચૌહાણ ભવ્યજીત મેળવશે. તેવો મતદાતાઓનો સુર જોવામળીરહ્યોછે. ત્યારે ગતરોજ દિયોદર વિધાનસભાના લાખણી-ડીસા વિસ્તારના ભાદરા, શરત જેનલ,વર્ણોડા, તાલેગંજ, પેછડાલ વિગેરે ગામોનો જનસંપર્ક કાર્યક્રમમાં ગામેગામ થી સાર્વત્રિક આવકાર સાંપડી રહ્યો છે. તાજેતર માં બોડીલેંગ્વેજ થી જેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇમોદીની અમી મીટના આશીર્વાદ મળેલછે. તેવા કેશાજી ચૌહાણ સરળતા અને સાદગી થી સતત લોકસપર્કમાં ભળીને રહેતાહોઇ ભવ્યજીત મેળવશે.