કડીના મણિપુર ગામમાં રહેતા બે પરપ્રાંતીય ભાઈઓને આજની ઘટના જીવનભર યાદ રહેશે. જ્યાં બને ભાઈઓ નોકરીથી પરત ફરી જમી પરવારીને બેઠા હતા ને એવું તો શું બન્યું કે અચાનક આગ લાગી અને જોતજોતાંમાં એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે બંનેને ભાગવા જેટલો સમય પણ ના મળ્યો. ઘરના સરસામાન થકી બંને ભાઈઓ આ આગની લપેટમાં આવીને દાજી ગયા. આજુબાજુના રહેવાસીઓને આ ઘટનાની જાણ થતાં બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પણ બંને ભાઈઓ ધ્રૂજી રહ્યા હતા, તેમને એ સમયે બનેલી ઘટનાનો અહેસાસ કરાવી રહી છે.

આગની લપેટમાં આવેલા બંને ભાઈઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બંને ભાઈઓનાં એકપણ એવા અંગ ન હતાં કે જે દાઝ્યા ના હોય. સારવાર દરમિયાન પણ જ્યારે તેમને પાટા બાંધવામાં આવ્યા અને સારવાર ચાલી રહી હતી. એ દરમિયાન પણ બંને ભાઈઓ બનેલી ઘટનાને યાદ કરીને ધ્રૂજતા હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર દરમિયાન વધારે તબિયત બગડતાં બંનેને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.