માતા-પિતાના મૃત્યુ બાદ છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા ઘોડદોડ રોડના યુવકે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આર્થિક ભીંસને કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે. ચાર દિવસથી ફોન ઉપાડયો નહીં હોવાથી મિત્રોએ ઘરે આવી તપાસ કરતા તેની ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળી હતી.

મિત્રોએ ઘરે આવી તપાસ કરતા લાશ મળી આવી

ઘોડદોડ રોડ સ્થિત રોયલ પેલેસમાં રહેતા મૃણાલ નવિનચંદ્ર મહેતાની ગુરુવારે સવારે ઘરમાંથી લાશ મળી આવી હતી. મૃણાલે ગત તા. 20મીએ રવિવારની સાંજના પાંચ વાગ્યાથી લઈ ગુરુવારે સવારે અગ્યાર વાગ્યા દરમિયાન ઘરમાં છતના પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું ઉમરા પોલીસ જણાવી રહી છે.