પીએમ મોદી ગુરુવારે ચાર જનસભા સંબોધશે

» ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાન મોદી સહિતના ભાજપના દિગ્ગજો જનસભા થકી ગુજરાત ગજવશે. જેમાં પીએમ મોદી ગુરુવારે ચાર સભાને સંબોધશે, જેમાં પીએમ મોદી સવારે 10 વાગે પાલનપુર, બપોરે 12.15 વાગે મોડાસા, બપોરે 1.45 વાગે દહેગામ અને બપોરે 3.00 વાગે બાવળામાં જાહેર સભાને સંબોધિત કરશે.