128 હાલોલ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના ચૂંટણી પ્રચાર અર્થે હાલોલ નગરના મધ્યમાં આવેલા મંદિર ફળિયા ખાતે આજ રોજ સાંજના સુમારે વિશાળ જનસભા યોજવામાં આવી હતી જનસભામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેજીએ વિશેષ હાજરી આપી હતી અને 128 હાલોલ વિધાનસભાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને મત આપવા માટે જાહેર જનતાને અનુરોધ કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું 

   જેમાં વિનોદ તાવડેજીએ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં ભાજપના અલગ અલગ મુખ્યમંત્રીઓ દ્વારા કરાયેલ વિકાસ કાર્યોને આગળ ધપાવવા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકારને મત આપવા અનુરોધ કર્યો હતો અને ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી લોકસભાની ચૂંટણી માટેની સેમી ફાયનલ હોવાનું જણાવી દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વધુ મજબૂત કરવા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી સાથે જીતાડવા આહવાન કર્યું હતું અને સ્થાનિક ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીત અપાવવા માટેનો અનુરોધ કર્યો હતો તેમજ તેઓએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશમાં અને ગુજરાતમાં કરેલા વિકાસ કાર્યોને ગણાવી ફરી એકવાર ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત આપી ગુજરાતમાં ભાજપાની સરકાર બનાવવા આહવાન કરી સ્થાનિક ઉમેદવાર જયદ્રથસિંહ પરમારને મત આપવા માટે જાહેર જનતાને વિનંતી કરી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા તેમજ હાલોલ,ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં જન મેદની ઉપસ્થિત રહી હતી.