ટિકીટ મુદ્દે AAPના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરશે

અગાઉ સસ્પેન્ડ કરાયેલા વિરોધ કરી રહ્યા છે: જાદવાણી કતારગામ બેઠક પર આપના પૂર્વ ઉપપ્રમુખ રાજુ દિયોરાએ કેટલાંક કાર્યકર્તાઓ સાથે પક્ષમાં થતો અન્યાય અને ટિકીટો અને હોદ્દાઓ વહેંચણીમાં ગુજરાત લેવલે અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ કાર્યકરો રવિવારે કતારગામ ખાતે વિરોધ પ્રદર્શન યોજશે તેમ જણાવ્યું હતું.

જ્યારે આપ ના સિનિયર નેતાએ કહ્યું હતું કે, આ વિરોધ ભાજપ પ્રેરિત છે. આપના કાર્યકર રાજુ દિયોદરાએ જણાવ્યું હતું કે, ટિકીટ વહેંચણીમાં અને હોદ્દામાં રાજ્યમાં આપના 90 ટકા કાર્યકરો સાથે અન્યાય થયો છે. ભાજપ-કોંગ્રેસ માંથી આવનારા અથવા પૈસા આપનાર ઉમેદવાર ને ટિકીટ આપવામાં આવી છે. જુના કાર્યકર્તાઓને સાઇડ ટ્રેક કરી ને નવા લોકોને ટિકીટ આપી દેવાઇ છે તેથી રવિવારે 20મી એ વિરોધ પ્રદર્શન યોજાશે.