વઢવાણ વિધાન સભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર તરૂણભાઈ ગઢવી દ્વારા સુરેન્દ્રનગરની આઈઆઈટી સામે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયની શુભ શરૂઆત કરાઇ હતી.સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર તરૂણ ભાઈ ગઢવીના મધ્યસ્થ કાર્યાલયનું આર.ટી.શાહના હસ્તે ઉદ્ધાટન કરાયું હતુ.આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા શ્રી તરૂણભાઈ ગઢવીએ પોતાના ચુંટણી પ્રચારની શરૂઆત કરતાં પહેલા દુધરેજ ધામમાં શ્રી વડવાળા મંદિર જઈને પૂજ્ય કણીરામબાપુની મુલાકાત લીધી અને પૂજ્ય બાપુએ તરુણભાઈ ગઢવી તથા એમના સાથી કાર્યકરોને આશીર્વાદ આપ્યા હતાં.કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વાત કરતાં શ્રી તરૂણભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મધ્યસ્થ કાર્યાલય અમારી આ વખતની ચુંટણી તૈયારીઓ અને વિજયી રણનીતિ ઘડવામાં ખુબ જ મદદરૂપ થશે.આ મધ્યસ્થ કાર્યાલય ગામ અને શહેરના અમારા કાર્યકરો અને અમારા શુભેચ્છકો માટે એક મંત્રણા સ્થળ બની રહેશે.તરુણભાઈ ગઢવી એ કહ્યું કે સંપુર્ણ ઝાલાવાડમાં કોંગ્રેસની અને ખરા વિકાસની વધુ ને વધુ બોલબાલા થાય એના માટે ને બધાએ મળીને કામ કરવું જોઈએ. “જ્યારે લોકો અને ભગવાનના આશીર્વાદ આપડી સાથે હોય ત્યારે આપણને લોકસેવા કરવાથી કોણ રોકી શકશે,“ એવું શ્રી ગઢવીએ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જણાવતા ઉમેર્યું હતું.