છટવાડા ગામે 45 વર્ષીય ઇસમે અગમ્ય કારણોસર ઝેતી દવા પીધી : સારવાર દરમોયન થયું મોત

મળતી માહિતી અનુસાર આ કામે મરણ જનાર ચુનીલાલભાઈ પારસીંગભાઇ વસાવા ઉંમર વર્ષ 45 રહે છટવાડા તાલુકો નાંદોદ નાઓ તારીખ 16/11/2022 ના રોજ 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના ઘરે કોઈપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી તેમની દીકરી નિરમાબેન તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે રાજપીપલા હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં લઈ આવ્યા હતા રાજપીપલા હોસ્પિટલ ખાતે દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ દર્દી ગંભીર હાલતમાં હોય જેથિ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ આમલેથા પોલીસને થતા આમલેથા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે