વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. 

જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત કૃષક અભ્યુદય વિધામંદિર કુંભરવાડી ખાતે મતદાર જાગૃતિ માનવ સાંકળ બનાવી. જેમાં સ્કુલના બાળકો એ માનવ સાંકળ અંતર્ગત VOTE શબ્દની રજુઆત કરવામાં આવી.

જેમાં મહત્તમ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ પ્રવૃતિને સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.