ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં આ વખતે કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટીકીટ આપતા જ સરદાર ટાવર પાસે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.સરદાર ટાવર પાસે સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી.જો કે આવતીકાલે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલ નામાંકનપત્ર ભરવા જશે.આ ઉપરાંત પાણીયારી ખાતે રેલી અને સંકલ્પ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, સર્વેના આર્શીવાદ અને શુભેચ્છા સાથે ખંભાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઇ રહ્યો છું.જે નિમિત્તે ખંભાત ખાતે રેલી અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન અંબાજી મંદિર પાણિયારી ખાતે આયોજન કર્યું છે.જેમાં મોટી સંખ્યામાં હાજર રહીને જન આર્શીવાદ આપવા ખંભાત મતવિસ્તારના સર્વ જાગૃત ભાઈઓ, બહેનો, યુવાનો, માતાઓ, અને વડીલોને નમ્ર વિનંતી કરું છું. તેમજ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.

(સલમાન પઠાણ-ખંભાત)