*થરાદ ખાતે કોગ્રેસ પાર્ટી દ્રારા ઉમેદવાર જાહેર કરતા પાર્ટી ના આગેવાનો અને કાર્યકતાઓ સાથે બેઠક યોજવામા આવી.*

 આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી આંબાભાઈ સોલંકી, પ્રવિણભાઇ વરણ તથા થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિનાં આગેવાનો , દશરથ શ્રીમાળી પાંચાભાઇ બઢીયા તથા સમગ્ર થરાદ વિસ્તારમાંથી કોંગ્રેસ આગેવાનો કાર્યકતાઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા ….

થરાદ વિધાનસભાના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મારા પર વિશ્વાસ દર્શાવી મારી પસંદગી કરવા બદલ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ, થરાદ વિસ્તાર ના સંગઠન નો તેમજ સમસ્ત કાર્યકર્તાઓ અને થરાદ વિધાનસભાના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર...

થરાદના ધારાસભ્ય તરીકે છેલ્લા ત્રણ વરસથી સતત પ્રજા વચ્ચે રહ્યો અને આપ સૌ અઢારે આલમની મહતમ સેવા કરવાનો મોકો આપ્યો .આપ સૌનો સારો-માઠો પ્રસંગ હોય એ મારો બની રહેલ છે. શિક્ષણ,આરોગ્ય, પાણી,સિંચાઇ જેવા પ્રશ્નો નાં ઉકેલ માટે હરહંમેશ છેવાડાના માણસ માટે કાર્યશીલ રહ્યો છું. 

આપ સૌ થરાદના 36 કોમના આશીર્વાદ અને સાથ સહકાર થી જનતાના આશીર્વાદથી સેવા કરવાનાં સંકલ્પ સાથે અડીખમ છું.આપ સૌ અઢારે આલમનો ઋણી રહીશ અને સૌને થરાદ વિધાનસભા માં કોગ્રેસ પાર્ટી ને જંગી બહુમતી થી જીતાડવા અપિલ કરી હતી 

અહેવાલ : કિરણ એપા