મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ નાઓએ

 અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

 જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ . શ્રી એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે

 રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ . ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ . સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ . રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ . મીતેશભાઇ કનુભાઇ વાળા

 દ્વારા ભાવનગર જીલ્લાના મહુવા પો.સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૮૦૩૫૨૨૦૯૬૫ / ૨૦૨૨ આઇ.પી.સી કલમ -૩૨૬,૩૨૩,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબના ગુન્હાના કામે પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતાં આરોપીઓને

 રાજુલા તાલુકાના રૂખડબાપુ ની વાવડી ગામે થી ચોકકસ બાતમીના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે ભાવનગર જીલ્લાના મહુવા પો.સ્ટે ને સોપી આપેલ છે .

 =પકડાયેલ આરોપીની વિગત =

( ૧ ) અશ્વીનભાઇ મગનભાઇ શિયાળ ઉ.વ .૩૨, ધંધો.મજુરી ( ૨ ) નરેશભાઇ મગનભાઇ શિયાળ ઉ.વ .૨૮, ધંધો.મજુરી, બંને રહે.ગઢડા તા.મહુવા જી.ભાવનગર હાલ રહે.રૂખડબાપુ ની વાવડી તા.રાજુલા, જી.અમરેલી,

 રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા, અમરેલી.