બનાસકાંઠાના થરાદ વિધાનસભાની ટિકિટ શંકર ચૌધરીને આપતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. ટિકિટનું નામ જાહેર થતા શંકર ચૌધરી થરાદ એપીએમસી બનાસકાંઠા જિલ્લા ભાજપ સાંસદ પરબત પટેલને મળવા પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શંકર ચૌધરીના સમર્થકોએ એપીએમસીમાં પહોંચી તેમણે વધાવ્યાં હતા. શંકર ચૌધરીનું વાવ વિધાનસભામાં નામ ચાલી રહ્યું હતું. જોકે, છેલ્લી ક્ષણોમાં શંકર ચૌધરીને થરાદ વિધાનસભા બેઠક પરથી નામ જાહેર થયું હતું.