કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે આવ્યા સુરતની મુલાકાતે, ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાન અંતર્ગત બેઠક મળી કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે આજરોજ સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓની અધ્યક્ષતામાં ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાન અંતર્ગત બેઠક મળી હતી. સાથે જ આ અભિયાનને વધુ તેજ બનવવા માટે લોકોના અભિપ્રાય પત્રોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મોકલવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવનાર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોની સમસ્યા અને લોકો કયા પ્રકારે પોતાની મુશ્કેલી મૂકી શકે તેના ભાગરૂપે અગ્રેસર ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરના ગ્લોબલ કાપડ માર્કેટ ખાતે કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન કાપડ માર્કેટના કારીગરો, ફેરિયાઓ, શ્રમિકો અને વ્યાપારીઓ સાથે કેન્દ્રિય મંત્રીએ મુલાકાત કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રીએ શ્રમિકોના અભિપ્રાય મેળવ્યા હતા. ત્યારબાદ કારીગરો અને શ્રમિકોના અભિપ્રાય પત્રોને કમલમ ખાતે પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી અભિપ્રાય દ્વારા લોકોની સમસ્યાનું ભાજપ સરકાર દ્વારા નિવારણ લાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ આમ આદમી પાર્ટી પણ શાબ્દિક પ્રહારો કરી AAPને કાલ્પનિક વાતો કરનાર જુઠ્ઠી પાર્ટી ગણાવી હતી. વધુમાં તેઓએ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ બોલવામાં જુબાન બહાદુર નેતા છે. તો બીજી તરફ, દેશમાં સારી અને યોગ્ય કામગીરી કરવા બદલ PM મોદીને કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ અભિનંદન પાઠવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
THARAD | થરાદ બેઠક પર શંકરભાઈ ચૌધરી ની ભવ્ય જીત થતાં જાહેર જનતાનો આભાર માન્યો
THARAD | થરાદ બેઠક પર શંકરભાઈ ચૌધરી ની ભવ્ય જીત થતાં જાહેર જનતાનો આભાર માન્યો
Article 370 abrogation a visionary step by PM Modi led govt: Tarun Chugh
BJP National general secretary and incharge Jammu and Kashmir Tarun Chugh on Tuesday said that...
ગુણિયલ ગરબા મહોત્સવમા ક્યાં ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેશે જુવો 👇👉
ગુણિયલ ગરબા મહોત્સવમા ક્યાં ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેશે જુવો 👇👉
'लाशों पर जीते.. राजनाथ सिंह का इस्तीफा..' Satyapal Malik ने फिर खोला मोदी सरकार के खिलाफ मोर्चा
'लाशों पर जीते.. राजनाथ सिंह का इस्तीफा..' Satyapal Malik ने फिर खोला मोदी सरकार के खिलाफ मोर्चा
બગસરા મા વાંઝા જ્ઞાતિના પ્લોટ માં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળામાં જનમેદની ઉમટી પડી જુઓ
બગસરા મા વાંઝા જ્ઞાતિના પ્લોટ માં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળામાં જનમેદની ઉમટી પડી જુઓ