ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભારે રસાકસીનો જંગ જામ્યો છે. ભાજપ દ્વારા આજે તમામ મોટાભાગની વિધાનસભાની બેઠકો ઉપર પોતાના તમામ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે પાલનપુરની વિધાનસભા બેઠક પર નવા ચહેરા તરીકે અનિકેત ઠાકરને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં હજુ સુધી કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર અનિકેત ઠાકર પોતાના સમર્થકો સાથે પાલનપુર પાતાળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે આવો જાણીએ પાલનપુર વિધાનસભા ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકર શું કહી રહ્યાં છે.