2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ઊંઝા વિધાનસભા બેઠક માટે આખરે ભાજપની અટકળોનો અંત આવ્યો હતો. આ બેઠક પરથી કોને ટીકીટ મળશે એ ચર્ચાનો વિષય ઘણાં સમયથી રહ્યો હતો. ભાજપે ઉમેદવારોની યાદી બહાર પાડતાં લોકોને ઉદ્ભવતાં પ્રશ્નોનો જાણે અંત આવ્યો હતો.

ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ભાજપના કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી જેને લઈને ઊંઝા બેઠક ઉપર હરીફાઈમાં ઋષિકેશ પટેલ પણ આવ્યા હતાં પરંતુ આજે ભાજપે વિધાનસભા બેઠકની સીટો જાહેર કરી છે. જેમાં, ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કિરીટ કેશવલાલ પટેલની ટીકીટ જાહેર કરાઇ છે. જેઓ RSSમાં પણ સેવા આપી ચુક્યા છે. જેઓ કે. કે. ના નામથી પણ જાણીતા છે 

ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરી ટીકીટ અપાઈ છે.