મહુધા ના ભાથીજી યુવક મંડળ દ્વારા ગિરનાર પરિક્રમા કરવામાં આવી 

હાલ માસ માં જૂનાગઢ ખાતે આવેલા ગિરનાર પર્વત પર નવમ થી લઈ ને અગિયારસ સુધી લીલી પરિક્રમા કરવામાં આવે છે જ્યારે અગિયારસ ના રોજ મોટો તુલસી વિવાહ યોજાય છે જેમાં આશરે 12 લાખ થી વધુ ભવિભક્તો જોડાઈ ને ગિરનાર ની 3 દિવસ ની પરિક્રમા કરી ધન્ય અનુભવે છે 

કોરોના કાળ બાદ પ્રથમ વખત આ પરિક્રમા યોજાઈ જેમાં. સ્થાનિક ટ્રસ્ટો દ્વારા ઠેર ઠેર ભંડારા ની સુવિધા તેમજ .પોલીસસ્ટાફ નગરપાલિકા અને વન વિભાગ દ્વારા ઉત્તમ સુવિધાઓ પુરી પડવામાં આવે છે ..મહુધા ના ભાથીજી યુવક મંડળે પણ આ પરિક્રમા ભાગ લઈ ધન્ય અનુભવ્યું હતું .

રિપોર્ટ ઈરફાન મલેક મહુધા ખેડા