તારાપુર શહેરના સોમનાથ મહાદેવ મંદિરે મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની શાંતિ માટે મોક્ષ પ્રાર્થના કરવામાં આવી  

તા.2.11.2022 સાંજે 6 થી 7 કલાકે શ્રી સોમનાથ મહાદેવ તારાપુર ખાતે મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને મૌનપ્રાર્થના કરી મોક્ષ પ્રાર્થના કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રાર્થના સભામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડૅના પ્રવિણભાઈ પરમાર, તારાપુર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખપ્ર વિણભાઈ વાઘેલા, જિલ્લા પંચાયત સભ્યશ્રી અરવિંદભાઈ પરમાર, પૂર્વ પંચાયત સભ્ય રાજુભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય જીગ્નેશભાઈ રાઠોડ તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વતી જયદિપસિંહ ગોહીલ, નીતિનભાઈ પટેલ, દિલુભાઈ, હર્ષદભાઈ તથા તારાપુરના ગ્રામજનો અને યુવાનો હાજર રહ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.