ખંભાતમાં માછીપુરા ખાતે રહેતા ૩૫ વર્ષ યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો છે.સોમવારે બપોરના અઢી વાગ્યાના સુમારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.આ અંગે ખંભાત શહેર પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખાતે પી.એમ અર્થે મોકલવામાં આવ્યો છે.