પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ દ્વારા નગરના હાર્દ સમાન વિસ્તાર તીનબત્તી ઉપર રાત્રિના કેન્ડલ માર્ચ કરી મોરબીમાં પુલ તૂટવાના કારણે મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 

            મોરબીમાં બનેલ ઘટનાએ ગુજરાત સહિત આખા દેશને હચમચાવી નાખ્યો છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થનાઓ લોકો કરી રહ્યા છે. ત્યારે ૩૧ ઓક્ટોબર રાત્રિના રોજ છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસ તેમજ પાવીજેતપુર કોંગ્રેસ પરિવાર દ્વારા મોરબીની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટના ઘટી હતી. આ હોનારતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજુ પણ મૃત્યુનો આંક વધી રહ્યો છે, ત્યારે આ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસ દ્વારા પાવીજેતપુરના તીનબત્તી ખાતે ૩૧ મી ઓકટોબરના મોડી સાંજે મીણબત્તી પ્રગટાવીને કેન્ડલમાર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ઈજાગ્રસ્તો વહેલા સાજા થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. 

       આમ, પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ દ્વારા તીનબત્તી ખાતે રાત્રિના મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ યોજી મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.