સમગ્ર ગુજરાત મોરબીના ઝૂલતા પુલના અકસ્માતને લઈ દુઃખની લાગણી વ્યક્ત કરે છે લોકો દ્વારા સામાજિક, રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાત જ્યારે શોકમય બની ગયેલ છે. ત્યારે અમરેલીના રાજુલા ખાતે આજે કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ૨ મિનિટ મૌન પાળી મૃતકોના આત્માને શાંતિ માટે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

રાજુલાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડૉ.આંબેડકર સર્કલ નજીક મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.