સુરેન્દ્રનગર ખાતે શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.રૂ.35 કરોડથી વધુનાં ખર્ચે ભવનનું નિર્માણ થયુંસુરેન્દ્રનગરમાં શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ કેન્દ્રિય આયુષમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેઓએ જણાવ્યુ કે, 1985 માં એમ.પી.શાહ દ્વારા આ જગ્યાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે દાનમાં આપી સંસ્થાની શરૂઆત કરાઈ હતી.ત્યારબાદ વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં બિલ્ડીંગનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થતા તાલીમ સંસ્થા માટે નવા ભવનની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રૂ. 35 કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત નવા ભવનનું નિર્માણ કરાયું છે. રાજ્યમાં એપ્રેન્ટિસ તાલીમ યોજના અંતર્ગત 3 વર્ષથી દર વર્ષે એક લાખથી વધુ યુવાનોને એપ્રેન્ટિસ તાલીમ અપાય છે.મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી તાલીમ યોજના હેઠળ ભવિષ્યમાં જે ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉપલબ્ધ છે તેવા ક્ષેત્રોના નવા અભ્યાસક્રમો આઈ.ટી.આઈમાં ચાલુ કરાશે છે. જેમાં સોલર રૂફટોપ, ઇલેક્ટ્રીક વ્હીકલ તેમજ ડ્રોન ટેકનોલોજીને લગતા વ્યવસાયોનો સમાવેશ કરાયો છે. આ કાર્યક્રમમાં અગ્રણી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, પી.એન.મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ હાજર રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
எருது ஓட்டும் நிகழ்ச்சிஎருது ஓட்டும் நிகழ்ச்சி
திண்டுக்கல் மாவட்டம் கவராயப்பட்டி கிராமத்தில் கோவில் திருவிழாவை ஒட்டி நடைபெற்றது. சுமார்...
ৰহাত অৱসৰ প্ৰাপ্ত প্ৰধান শিক্ষক তথা শিক্ষক সন্মিলনীৰ উপ সভাপতি বিপুল চন্দ্ৰ নাথৰ বিদায় সম্বৰ্ধনা
ৰহাত অৱসৰ প্ৰাপ্ত প্ৰধান শিক্ষক তথা শিক্ষক সন্মিলনীৰ উপ সভাপতি বিপুল চন্দ্ৰ নাথৰ বিদায় সম্বৰ্ধনা
43 इंच स्मार्ट टीवी के साथ घर में होगा एंटरटेनमेंट, 30 हजार रुपये से कम में ये हैं टॉप 5 विकल्प
अगर आप 43 इंच स्क्रीन वाला स्मार्ट टीवी खरीदने का प्लान कर रहे हैं तो आज हम आपको टॉप 5 विकल्पों...
कांग्रेस के जिलाध्यक्ष शिवजीत सिंह का अमानगंज प्रथम दौरा नव जिलाध्यक्ष बनने पर रास्ते में जगह-जगह हुआ स्वागत
कांग्रेस के नवनियुक्त जिलाध्यक्ष शिवजीत सिंह भैया राजा का अमानगंज प्रथम दौरा नव जिलाध्यक्ष बनने...
Kolkata Anti Rape Law News: विधानसभा में Mamata Banerjee बोलीं- हमें सीबीआई से न्याय चाहिए | Aaj Tak
Kolkata Anti Rape Law News: विधानसभा में Mamata Banerjee बोलीं- हमें सीबीआई से न्याय चाहिए | Aaj Tak