સુરેન્દ્રનગર ખાતે શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.રૂ.35 કરોડથી વધુનાં ખર્ચે ભવનનું નિર્માણ થયુંસુરેન્દ્રનગરમાં શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ કેન્દ્રિય આયુષમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેઓએ જણાવ્યુ કે, 1985 માં એમ.પી.શાહ દ્વારા આ જગ્યાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે દાનમાં આપી સંસ્થાની શરૂઆત કરાઈ હતી.ત્યારબાદ વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં બિલ્ડીંગનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થતા તાલીમ સંસ્થા માટે નવા ભવનની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રૂ. 35 કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત નવા ભવનનું નિર્માણ કરાયું છે. રાજ્યમાં એપ્રેન્ટિસ તાલીમ યોજના અંતર્ગત 3 વર્ષથી દર વર્ષે એક લાખથી વધુ યુવાનોને એપ્રેન્ટિસ તાલીમ અપાય છે.મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી તાલીમ યોજના હેઠળ ભવિષ્યમાં જે ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉપલબ્ધ છે તેવા ક્ષેત્રોના નવા અભ્યાસક્રમો આઈ.ટી.આઈમાં ચાલુ કરાશે છે. જેમાં સોલર રૂફટોપ, ઇલેક્ટ્રીક વ્હીકલ તેમજ ડ્રોન ટેકનોલોજીને લગતા વ્યવસાયોનો સમાવેશ કરાયો છે. આ કાર્યક્રમમાં અગ્રણી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, પી.એન.મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ હાજર રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં વીમો પકવવાના ષડયંત્રનો પર્દાફાશ કરતાં એસ.પી.ને એલ.આઇ.સી. એ ઇનામ આપ્યું
બનાસકાંઠા પોલીસે એલ.આઇ.સી.ના રૂ. 1.26 કરોડ બચાવતાં પોલીસ વડાને રૂ. 50 હજારનું ઇનામ આપ્યું હતું....
Knight Frank's Report On Indian Real Estate Sector | देशभर में रियल्टी सेक्टर ने कैसे मचाई धूम?
Knight Frank's Report On Indian Real Estate Sector | देशभर में रियल्टी सेक्टर ने कैसे मचाई धूम?
DFO ৰাজেন্দ্ৰ প্ৰসাদ ভাৰতীক গ্ৰেপ্তাৰ দাবী। ২৪ ঘণ্টাৰ সময় সীমা AJYCP ৰ। উত্তাল ডুমডুমা বন সংমণ্ডল।
DFO ৰাজেন্দ্ৰ প্ৰসাদ ভাৰতীক গ্ৰেপ্তাৰ দাবী AJYCP নেতা কল্যাণজ্যোতি মৰাণৰ। উত্তাল ডুমডুমা বন...
ऑपरेशन गरिमा अभियान एवं सुरक्षा सखी पखवाड़े के तहत सुरक्षा सखियों के माध्यम से विद्यालय में पढ़ने वाली बालिकाओं को कानूनी एवं आत्मरक्षा करने की जानकारी दी गई।
श्रीमान अतिरिक्त महानिदेशक पुलिस, सिविल राईट्स एवं एएचटी राज. जयपुर के निर्देशानुसार राज्य सरकार...
Mumbai Toll Tax Free: मुंबई इन गाड़ियों पर नहीं लगेगा टोल टैक्स, लोगों ने जताई खुशी, देखिए क्या कहा?
Mumbai Toll Tax Free: मुंबई इन गाड़ियों पर नहीं लगेगा टोल टैक्स, लोगों ने जताई खुशी, देखिए क्या कहा?