રતનપર વિસ્તારમાં રહેતા યુવાનને બેભાન હાલતમાં મૂળી હાઇવે ઉપરથી મળી આવ્યો. સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારજનોને જાણકારી આપી ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં દિન પ્રતિદિન જાહેર માર્ગો ઉપર બિન વાસી લાશો મળવાનો સિલસિલો વધુ એકવાર સામે આવ્યો છે , દસ દિવસની અંદર આ ત્રીજીવાર બિનવારસી યુવક મળી આવ્યો છે ત્યારે તપાસ કરતા તે યુવાન રતનપર વિસ્તારનો હોવાનું અને મૂડી હાઇવે ઉપર બેભાન અવસ્થામાં મુળી આવ્યો છે.ત્યારે તેનું મોત શંકાસ્પદ હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તાત્કાલિક અસરે પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેને બેભાન અવસ્થામાં સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન લાવવામાં આવ્યો હતો પરંતુ જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે તેની તપાસ પોલીસે હાથ ધરવામાં આવતા આ યુવાન રતનપર વિસ્તારમાં રહેતો હોવાનું અને તેનું નામ રમેશ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી અને પરિવારને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે પરિવારજનો મહાત્મા ગાંધી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને આ લાશ રમેશની હોવાનું સાબિત થયું હતું.