દાહોદના દેલસર ગામના લક્ષ્મીબેન ઉમેશભાઈ પરમાર આ નૂતન વર્ષ તેમના નવા ઘરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે . પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા તેઓ પોતાનું નવું ઘર બનાવી શક્યા શક્યા છે . નવું વર્ષ તેઓ તેમના નવા ઘરમાં મનાવી શક્યા એ માટે તેઓ સરકારનો આભાર માને છે . લક્ષ્મીબેન જણાવે છે કે , પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અમારું પાકું ઘર બનાવવાની વર્ષોની ઈચ્છા પુરી થઈ છે . સરકારની આ યોજનાનો લાભ ન મળ્યો હોત તો પાકું મકાન બનાવવું એ અમારા જેવા ગરીબ માણસ માટે ઘણું મુશ્કેલ કામ હતું . 

રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી.