ખરેખરમાં કોંગ્રેસ ભારત જોડો પદયાત્રા દ્વારા સમગ્ર દેશની જનતાને એક કરીને મોદી સરકારની નિષ્ફળતાઓ સાથે લોકોમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ચાત્રા સમર્થનમાં કોગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની ખોડિયાર મંદિર સુધીની પદયાત્રા યોજાનાર છે 30 ઓક્ટોબરે યોજાનારી ભારત જોડો યાત્રાને લઈને ભાવનગર જિલ્લા કોંગ્રેસના નેતાઓએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ યોજાઈ ગઈ જેમાં તેયારીઓના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં પણ આવી હતી કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અભિયાન શફૂ થયું છે. આ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ભાવનગર જશોનાથ ચોકથી પદયાત્રાનું પ્રસ્‍થાન તા. ૩૦ રવિવારે બપોરના 3 વાગ્યે કરવામાં આવશે આ પદયાત્રામાં રાષ્ટીય કોંગ્રેસના નેતા અને ભાવનગરનું ઘરેણું શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં, આ પદ્યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાભરના લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રાના આયોજનના ભાગરૂપે સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ મળી હતી યાત્રાને લઈ કોંગ્રેસના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે