"પરંપરાને બહુમાન આપી ટ્રસ્ટીશ્રીઓ અને વડીલોના પુત્ર તરીકે અમે ઉત્સાહભેર દિપાવલીના પર્વની ઉજવણી કરવા આ વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા છીએ.” -- શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી........દર વર્ષની પરંપરાને આ વર્ષે પણ ચાલુ રાખતા ભાવનગરના લોકલાડીલા શિક્ષણ મંત્રી શ્રી. જીતુભાઈ વાઘાણીએ આંબાવાડી વૃદ્ધાશ્રમ ખાતે દિપાવલીના પાવન અવસરે આશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. મંત્રીશ્રીએ વડીલશ્રીઓનું મોં મીઠું કરી આશીર્વાદ મેળવીને આવનારા નૂતન વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી. શ્રીમતી ગુલાબબેન હરીભાઇ શાહ વૃદ્ધ નિકેતનનાં ૨૫૦ જેટલા વડીલોને મંત્રિશ્રીના હસ્તે મીઠાઇ સહિત વસ્તુઓની કિટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મંત્રીશ્રી એ જણાવતા કહ્યું હતું કે, લોકપ્રતિનિધિ બન્યા અગાઉથી આ વૃદ્ધાશ્રમમાં દિપાવલીની ઉજવણી કરવાનો નિયમ તેમણે જાળવી રાખ્યો છે. ૫૨ વર્ષ જૂનું આ ટ્રસ્ટ અનેક વડીલશ્રીઓનો વડલા સમાન આધાર તથા ઘર છે. આ પર્વે વડીલોની નાની મોટી આવશ્યક્તાને સંતુષ્ટ કરવાની પુણ્યતા પ્રાપ્ત કરીને મને આનંદ થાય છે. આ પ્રસંગે વડીલોએ મંત્રીશ્રીની ઓવારણાં લઈને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે દેશની સરહદે રહીને માતૃભૂમિની સુરક્ષા માટે રાત દિન જાગતા, પોતાના જીવની પરવા કર્યા વિના દેશવાસીઓની સલામતી માટે ખડે પગે રહેનાર એવાં નિર્ભય જવાનોના પરિવાર અને તેમના સભ્યો વચ્ચે પણ શિક્ષણમંત્રીશ્રીએ મીઠાઇ વિતરણ કરી તેમજ વીડિયો કોલિંગના મધ્યમથી આ પર્વનાં આનંદને જવાનોના પરિવારો સાથે સહભાગી થઈને વહેંચ્યો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી સહિત ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી નિલાબેન ઓજા, ઉપપ્રમુખ શ્રી. સુનિલભાઈ વાડોદરીયા, મંત્રીશ્રી દેવેનભાઇ સેઠ તથા ટ્રસ્ટીશ્રી ભરતભાઇ શાહ, શ્રી કિર્તિભાઈ સગાપરા અને શ્રીમતી લતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- હું ચીન પર નેહરુની ટીકા નહીં કરીશ, કોઈની નીતિ ખરાબ હોઈ શકે છે, ઈરાદાની નહીં 
 
                      રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા...
                  
   गांव के किसान का बेटा बनेगा डॉक्टर छिंदवाड़ा के शासकीय मेडिकल कॉलेज में पाया प्रवेश 
 
                      *गांव के किसान का बेटा बनेगा डॉक्टर: छिंदवाड़ा के शासकीय मेडिकल कॉलेज में पाया प्रवेश*
 ...
                  
   অসম চৰকাৰৰ পঞ্চায়ত আৰু গ্ৰামোন্নয়ন বিভাগৰ অধীনৰ অসম ৰাজ্যিক গ্ৰামীন জীৱিকা অভিযান 
 
                            ◆যোৰহাট জিলাৰ উদ্যোগত আজি যোৰহাট থিয়েটাৰ হ'লত অনুষ্ঠিত এক অনুষ্ঠানত...
                  
   खारुपेटिया के मोवामारी में पति ने धारदार हथियार से की पत्नी की हत्या :  थाना में आत्मसमर्पण 
 
                      खारुपेटिया के मोवामारी में पति ने धारदार हथियार से की पत्नी की हत्या : थाना में आत्मसमर्पण
                  
   દિયોદર  તાલુકા ના કોતરવાડા ગામ ના રેવન્યુ તલાટી ક્યાં મળે તો કેજો ... અરજદાર રાહ જુવે છે... 
 
                      દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રેવન્યુ તલાટી સતત ગેરહાજર,,દાખલાઓ માટે ખેડૂતો અને ગામલોકોની...
                  
   
  
  
  
  
  