તળાજા ગ્રામ્યમાં "વસ્ત્રદાન અભિયાન" અંતર્ગત તળાજા ગ્રામ્યમાં વિવિધ જરૂરિયાત મંદ વિસ્તારોમાં વસ્ત્રદાન કરવામાં આવ્યું,આ કાર્યક્રમમાં બહુમુલ્ય યોગદાન તમામ દાતાશ્રીઓ દ્વારા દાન કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના યુવાનો દ્વારા જે 103 જોડી કપડાં એકત્રિત કર્યા હતા તેનુ દાન કરવામાં આવ્યું હતું.

             આ કાર્યક્રમમાં ઉપસ્થિત તળાજા તાલુકા ભાજપ અધ્યક્ષ શ્રી જોરસંગભાઈ પરમાર, મહામંત્રી શ્રી ધીરુભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી મંગાભાઈ સોલંકી, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઈ ડાભી, પીથલપુર જિલ્લા પંચાયત સદસ્યા ના પ્રતિનિધિ શ્રી મુકેશભાઈ મકવાણા,અને તાલુકા સંયોજક તળાજા ગ્રામ્ય વિજયભાઈ જાંબુસા, અજયભાઈ મકવાણા હાજર રહ્યા હતાં, 

    સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનો આ કાર્યક્રમમાં ગરીબ લોકોના ચેહરા પર આવતી ખુશી જોઈ અને આ કાર્યક્રમમાં કરેલ મહેનત રંગ લાવી અને ગરીબોના ઘરમાં દિવાળીની રોશની આવી હતી