October 19, 2022 યુનોના મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું

ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું વડોદરા એરપોર્ટ ખાતે પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ પંચાલ, મેયરશ્રી કેયુર રોકડીયા,સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, કલેકટર શ્રી એ.બી.ગોર,પોલીસ કમિશનર ડો.સમશેરસિંઘ ઉષ્માસભર આવકાર કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવશ્રી એન્ટોનીયો ગુટેરેસ વડોદરા એરપોર્ટથી એકતાનગર (કેવડીયા) ખાતે જવા રવાના થયા હતા.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવશ્રી એન્ટોનીયો ગુટેરેસ એકતાનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.

તેઓશ્રી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ચરણ વંદના કરશે ત્યારબાદ મિશન લાઈફ લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે