માહી ગ્રુપના સભ્યો દ્વારા  જી.આઇ.ડી.સી.માં આવેલ ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટમાં સારવાર લઈ રહેલ લંપીગ્રસ્ત ગાયમાતાને એક રીક્ષા  ઘાસચારાનું વિતરણ કરવામાં આવેલ..

ઉપરોક્ત સેવાકાર્ય માહી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતાના સહયોગથી કરવામાં આવેલ

ઉપરોક્ત સેવાકાર્યમાં માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયા, સભ્ય જયેશભાઈ પાઉં,  મોહનભાઈ ઓડેદરા, મિલનભાઈ પરમાર, લાલજીભાઈ દાઉદિયા, વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો