પાટડીના માલવણ હાઇવે પર કચોલિયા ગામ પાસે ગાડી એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતુ. તેમજ કારનો પણ કચ્ચણઘાણ વળી ગયો હતો. મોરબીનો શખ્સ અમદાવાદથી પરત આવી રહ્યો ત્યારે કચોલિયા પાસે તેને અકસ્માત નડ્યો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતુ.અકસ્માત ઝોનમાં આવતા માલવણ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે મોરબીનો અજયભાઇ હસમુખભાઇ નિમાવત (રામાનંદી સાધુ) નામનો 35 વર્ષનો યુવાન પોતાની ક્રેટા ગાડી લઇને પુરઝડપે અમદાવાદથી મોરબી પરત આવી રહ્યો હતો. ત્યારે પાટડીના માલવણ હાઇવેના કચોલિયાના બોર્ડ પાસે કારચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ નીચે ઉતરીને પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની ઘટનામાં કાર ચાલક અજયભાઇ નિમાવતને માથામાં અને દાઢીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી એને લોહિલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં મૃતક અજયભાઇ નિમાવતના પરિવારજનો મોરબીથી પાટડી સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના ભાખર ગામ પાસે નિલગાય વચ્ચે આવી જતા બાઈક સવારને અકસ્માત નડ્યો
ડીસા તાલુકાના ભાખર ગામ પાસે નિલગાય વચ્ચે આવી જતા બાઈક સવારને અકસ્માત નડ્યો
Anura Kumara Dissanayake बने Sri Lanka के नए राष्ट्रपति, बोले- ये नई शुरुआत (BBC Hindi)
Anura Kumara Dissanayake बने Sri Lanka के नए राष्ट्रपति, बोले- ये नई शुरुआत (BBC Hindi)
অৰ্থনৈতিক সংকটত পাকিস্তান
অৰ্থনৈতিক সংকটত পাকিস্তান । মূল্যবৃদ্ধিৰ অগ্নিত দহিছে পাকিস্তানৰ বজাৰ ।
এটিয়া বিৰ্তকিত...
સુભાનપુરા વિસ્તારમાં ગણપતિજી ની સ્થાપના કરાય
સુભાનપુરા વિસ્તારમાં ગણપતિજી ની સ્થાપના કરાય
हरियाणा में कांग्रेस-AAP का गठबंधन तय:5 सीटों पर चुनाव लड़ेगी आप
हरियाणा में कांग्रेस और आम आदमी पार्टी (AAP) में गठबंधन तय हो गया है। 5 सीटों पर AAP चुनाव लड़ेगी।...