પાટડીના માલવણ હાઇવે પર કચોલિયા ગામ પાસે ગાડી એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતુ. તેમજ કારનો પણ કચ્ચણઘાણ વળી ગયો હતો. મોરબીનો શખ્સ અમદાવાદથી પરત આવી રહ્યો ત્યારે કચોલિયા પાસે તેને અકસ્માત નડ્યો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતુ.અકસ્માત ઝોનમાં આવતા માલવણ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે મોરબીનો અજયભાઇ હસમુખભાઇ નિમાવત (રામાનંદી સાધુ) નામનો 35 વર્ષનો યુવાન પોતાની ક્રેટા ગાડી લઇને પુરઝડપે અમદાવાદથી મોરબી પરત આવી રહ્યો હતો. ત્યારે પાટડીના માલવણ હાઇવેના કચોલિયાના બોર્ડ પાસે કારચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ નીચે ઉતરીને પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની ઘટનામાં કાર ચાલક અજયભાઇ નિમાવતને માથામાં અને દાઢીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી એને લોહિલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં મૃતક અજયભાઇ નિમાવતના પરિવારજનો મોરબીથી પાટડી સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इसे खाते ही शरीर का वजन तेजी से बढ़ने लगेगा/दुबले पतले लोग इसे जरूर अपनाएं/ वजन बढ़ाये - Health Tips
इसे खाते ही शरीर का वजन तेजी से बढ़ने लगेगा/दुबले पतले लोग इसे जरूर अपनाएं/ वजन बढ़ाये - Health Tips
દાહોદ વન વિભાગના અધિકારીએ કર્યો આપઘાત
દાહોદ વન વિભાગ ના અધિકારી એ કર્યો આપઘાત
પોતાની ખાનગી રીવોલ્વર થી માથા માં ગોળી મારી
રાજ...
Bharat Mobility 2025 में पेश हो सकते हैं कई स्कूटर और बाइक्स, TVS से लेकर Yamaha तक लाएंगे ये वाहन
भारत में जनवरी 2025 में ऑटोमोबाइल जगत का सबसे बड़े कार्यक्रम Bharat Mobility 2025 का आयोजन किया...
Hindu धर्म में शंकराचार्य कौन होते हैं, Ayodhya जाने से इनकार क्यों? Ram Mandir | Aasan Bhasha Mein
Hindu धर्म में शंकराचार्य कौन होते हैं, Ayodhya जाने से इनकार क्यों? Ram Mandir | Aasan Bhasha Mein
DEESA/ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો..
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો શરૂ...