સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ઇન્ચા,પો.ઇન્સ. વી.વી. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એ એસ આઈ ડાયાભાઇ મોધરીયા તથા એ.એસ આઈ દાજીરાજસિંહ રાઠોડ તથા એ.એસ.આઈ રવિભાઇ અલગોતર તથા પો.હેડ કોન્સ. મહિપતસિંહ મકવાણા તથા પો.હેડ કોન્સ. હરદેવસિંહ પરમાર વિગેરે સ્ટાફ સાથે સુરેન્દ્રનગર સીટી એ. ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુ.નગર દાળમીલરોડ ઉપર હરશકિત સર્કલ પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પુછપરછ કરતા પોતે ચોટીલા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.એક્ટ કલમ મુજબના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી દીનેશભાઇ જેશીંગભાઇ કુનતીયા જાને ચોળી ઉ.વ.35 ધંધો મજુરીકામ રહે. સુરેન્દ્રનગર મફતીયાપરા શેરીન-3 જોગણીમાનાના મંદીર પાસે વાળાને પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સુ.નગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. માં સોંપેલ છે.