દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.