"વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે" ના ભાગરૂપે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના એન.એમ.એચ.પી.,એન.સી.ડી.સેલના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ મનીષકુમાર મારુ તથા સોશિયલ વર્કર હેતલ મોઢા દ્વારા ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ રીકીન પંડયા નો ખૂબ સહકાર રહ્યો હતો અને નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટ્સને માનસિક સ્વાસ્થ્ય પર લેક્ચર આપવામાં આવ્યુ હતુ અને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.