વિધાનસભા ચૂંટણીઓ ની તૈયારીઓ, અંબાજી માં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા લોકો ને અરવિંદ કેજરીવાલ ના ગેરન્ટી કાર્ડ વિતરણ કરાયા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણીઓની તૈયારીઓ માં કાર્યરત જોવા મળી રહ્યા છે હાલમાં ગુજરાતની જનતા માટે દરેક પાર્ટી પોતાનો વિશ્વાસ જીતવા માટે દરેક પ્રકારના વાયદાઓ કરવામાં આવી રહ્યા છે આજે બનાસકાંઠાના દાતા તાલુકા ના અંબાજી માં આમ આદમી પાર્ટી તરફથી લોકોને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરી ના ગુજરાતની જનતાને આપેલા મફત સેવાઓ સાથે બીજી દુરૂસ્ત સેવાઓ જેમ કે બીજલી ,નોકરીઓ , શિક્ષણ અને સ્વસ્થ જેવી સેવાઓ ના બાબતે અનેકો વાયદાઓ સાથે ગેરંટી આપવામાં આવી છે. તો આજે અંબાજીના ક્રિષ્ના હોટલ સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકોને અરવિંદ કેજરીવાલના ગેરેન્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તો આમ આદમી પાર્ટી ગુજરાત માં સત્તા માં આવશે તો લોકો કે સુ ફાયદો થશે તેની જાણકારી લોકો ને આપવા માં આવી હતી.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી