શિહાબની હજ યાત્રા : પંજાબના શાહી ઈમામે વિઝા ન આપવા બદલ પાકિસ્તાન સરકારને આડે હાથ લીધી

હજ કરવા માટે પગપાળા કેરળથી સાઉદી અરેબિયાના મક્કાની યાત્રાએ નીકળેલા હજયાત્રીના વિઝા ન આપવા બદલ પંજાબના શાહી ઇમામે પાકિસ્તાન સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે.

શાહી ઇમામ પંજાબ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાનવીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે હવે જ્યારે શિહાબ લગભગ 3000 કિલોમીટર પૂર્ણ કરી ચૂક્યું છે, ત્યારે પાકિસ્તાન સરકારે વિઝા આપવાનો ઇનકાર કર્યો છે.

પંજાબના શાહી ઈમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાનવીએ પત્રકાર પરિષદને સંબોધતા કેરળના તીર્થયાત્રી શિહાબ ચિત્તુરને વિઝા ન આપવા બદલ પાકિસ્તાન સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હજયાત્રી અટારી બોર્ડર પર પહોંચ્યા, ત્યારે પાકિસ્તાન એમ્બેસીએ વિઝા આપવાનો ઇનકાર કરી દીધો.

શિહાબ હજ માટે મલપ્પુરમથી મક્કા સુધીની 280 દિવસની લાંબી મુસાફરીમાં દરમિયાન આઠ મહિનામાં છ દેશો પાર કરીને મક્કા પહોંચવાનો છે. લુધિયાનવીએ કહ્યું, “પહેલા પાકિસ્તાની દૂતાવાસે શિહાબ ચિત્તુરને યાત્રા ચાલુ રાખવાનું આશ્વાસન આપ્યું અને કહ્યું કે તે ભારત-પાક બોર્ડર પર પહોંચશે ત્યારે તેને વિઝા આપવામાં આવશે. એમ્બેસીએ એવો તર્ક આપ્યો કે જો અગાઉથી આપવામાં આવે તો વિઝા સમાપ્ત થઈ જશે. તેથી શિહાબ ચિત્તુર બોર્ડર પર પહોંચતાની સાથે જ વિઝા આપવામાં આવશે. શાહી ઈમામે કહ્યું કે હવે જ્યારે શિહાબ ચિત્તુર લગભગ 3000 કિમી પૂર્ણ કરીને સરહદ પર પહોંચી ગયો છે, ત્યારે પાકિસ્તાન સરકારે વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે

.રિપોર્ટ ઈરફાન મલેક