વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે ખરવાસા આશ્રમ શાળા ખાતે વન્ય પ્રાણીઓ વિષયક ચિત્ર સ્પર્ધા યોજાઈ 

     રાજ્યના વન વિભાગ દ્વારા તા.૨ થી ૮ ઓક્ટો. દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ-સુરતની ચોર્યાસી રેન્જ દ્વારા વન્ય પ્રાણી અંગે લોકોમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય એ માટે ખરવાસા આશ્રમ શાળા ખાતે વન્ય પ્રાણીઓ વિષયક ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા બાળકોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવ્યુ