વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રામજીભાઈ ગોહિલ ની વરણી કરવામાં આવી છે બીજી તરફ ઋષિરાજસિંહ ની પણ વરણી કરવામાં આવી છે. ત્યારે આજથી બે મહિના પહેલા સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો અને આ તકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો દ્વારા ચૂંટાયેલા માર્કેટિંગ યાર્ડના સભ્યોને શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી.ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેનલ અને ખેડૂત પેનલ બંનેમાં ભવ્ય જીત સાથે ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતા ભાજપમાં ખુશીની લહેર દોડી ઉઠવા પામી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર ના વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે સર્વનું મતે ચેરમેન તરીકે રામજીભાઈ ગોહિલ તથા વાઇસ ચેરમેન તરીકે ઋષિરાજસિંહ રાણા નું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે અને બંનેને ચેરમેન અને વાઇસ ચેરમેન ની પદવી પણ આપી દેવામાં આવી છે.ત્યારે ઉલ્લેખ છે કે કરોડો રૂપિયાની રોજની આવક તથા લેવડદેવડ ધરાવતું વઢવાણ માર્કેટિંગ યાર્ડ વિકાસના પંથે ઝબકતું થાય તેવા પ્રયાસ અને સંકલ્પ કરવામાં આવ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે રામજીભાઈ ગોહિલ વઢવાણ માર્કેટિંગ યાર્ડના અગાઉ પણ ચેરમેન તરીકે રહી ચૂક્યા છે અને વઢવાણ માર્કેટિંગ યાર્ડનો વિકાસ થાય તે માટે સતત તે તત્પર રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે આજે ફરી નવી માર્કેટિંગ યાર્ડની બોડીમાં પણ તેમને ચેરમેન પદ આપવામાં આવ્યું છે અને વાઇસ ચેરમેન તરીકે ઋષિરાજસિંહ રાણા નું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.ત્યારે આ તકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ ભૂત આગેવાન ચંદ્રેશભાઇ પટેલ અને ભાજપના અગ્રણીઓ અને નેતા વર્ગ પણ ઉપસ્થિત રહી અને વહેલી સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે રામજીભાઈ ગોહિલને ચેરમેન બનવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને અગામી દિવસોમાં ખૂબ માર્કેટિંગ યાર્ડની પ્રગતિ કરે અને માર્કેટિંગ યાર્ડમાં વિકાસ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.