ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામે જાહેરસીમનો રસ્તો બંધ કરવા બાબત ઘડિયા થી ગોસર તલાવડી જવાનો જાહેર રસ્તો હોય જેનો વર્ષોથી રુસ્તમપુરા,જુનીમાલવણ,ઘડિયા ના લોકો અવર-જવર માટે ઉપયોગ કરે છે છેલ્લા ઘણા સમયથી ગોસર તલાવડી નો આ જાહેર સીમ રસ્તાની બાજુમાં આવેલ ખેતરના માલિક ખાંટ ગણપતભાઈ રાયમલભાઈ અને તેમનો પુત્ર ખાંટ વસંતભાઈ ગણપતભાઈ બંને પિતા-પુત્રએ મળીને જાહેર સીમ રસ્તામાં સિમેન્ટના પોલ તથા કાંટાળા તાર અને ગાંડા બાવળના ડાળખાં નાખીને જાહેર રસ્તો બંધ કરેલ છે.તથા ગ્રામજનોને અવર-જવર માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે ઉપરોક્ત બાબતે ગામના આગેવાનોએ રસ્તો ચાલુ કરવા માટે વાત-ચિત પણ કરેલ છે પરંતુ તેમનું પણ માનતા નથી જેથી અમો ગ્રામજનોએ તા-૩૦/૦૯/૨૦૨૨ ના રોજ ગળતેશ્વર મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ અરજી આપેલ છે

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર