દંડક રમેશભાઈ કટારાએ લાભાર્થીઓને આવાસ ની ચાવી અર્પણ કરી

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આવાસ યોજનાની ચાવી લાભાર્થીને અર્પણ કરવામાં આવી હતી. 

          ફતેપુરા તાલુકાના ચીખલી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ શુક્રવારના રોજ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમ જ પ્રધાનમંત્રી આવાસની રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું આવાસના લાભાર્થીઓને મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી વસાવા, તાલુકાના આગેવાનો નાનુભાઈ ભગોરા કલ્યાણસિંહ ચંદાણા રાજેશભાઈ મછાર, કિર્તીપાલસિંહ ચૌહાણ તાલુકા ભાજપ પ્રમુખ રામભાઈ પારગી આંગણવાડીના કર્મચારીઓ મનરેગા યોજનાના કર્મચારીઓ સહિત તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.