શ્રી પે સેન્ટર શાળા નંબર-7, વઢવાણ દ્વારા મા ની આરાધના નો પર્વ એટલે નવરાત્રી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. "રાસોત્સવ 2022" અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ, બેસ્ટ ગરબા, એમ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના આચાર્ય શ્રી હરદીપભાઈ કુબાવત, પ્રવીણસિંહ પરમાર અને શાળા પરિવારના શિક્ષકો ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.