પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા વાડી વિસ્તાર અને ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ખેડૂતોને ઉપરવાસના વિસ્તારમાંથી ભારે વરસાદના કારણે છેલ્લા ત્રણ મહીનાથી ઘણા સમયથી પાણી ખેતરમા વહેતું હોવાથી  ત્રણ વખતથી વાવેતર નિષ્ફળ ગયું હોય અને આવી હાલત છેલ્લા ૧૦ વર્ષથી આ સમસ્યા હોય અને અનેક વખત રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓઓને રજૂઆત કરવા છતાં આ વાત કોઈ ધ્યાને લેતા ના હોય ત્યારે કંટાળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ટેલિફોનથી જાણ કરાતા  ત્યાં સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ જાણી તેઓને આશ્વસન આપીને તાત્કાલિક પૂરતા પ્રયત્નો કરવામા આવશે અને જો હાલમાં પ્રયત્નો કરવાથી પરિણામ નહિ નીકળે તો આગામી ૨૦૨૨ માં નાથાભાઈ ઓડેદરા એ પણ ઉમેદવારી કરી છે અને  કોંગ્રેસની સરકાર બનતા જ તમારી સમસ્યાનું ૧૦૦% નિવારણ લાવીશ તેવું પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું