જૂનાગઢ સમસ્ત લુહાર સમાજ દ્વારા નવરાત્રીમાં પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજનની કરવામાં આવી શરુઆત 

જૂનાગઢ જોશીપુરા ખલીલપુર રોડ અવસર ફાર્મ સ્થિત પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજનની શરૂઆત કરવામાં આવી છે જેમાં લુહાર સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાઈને માતાજીની આરાધના કરી ગરબે રમી રહ્યા છે

    નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની આરતી સાથે નવલા નોરતાનો શુભારંભ થયો હતો, શ્રી સમસ્ત લુહાર સમાજ યુવક મંડળના પ્રમુખ કલ્પેશ ચૌહાણ તેમજ મનોજભાઈ વાઘેલા, કિશનભાઈ જિલકા સહિતની ટિમ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે નવરાત્રીના પ્રથમ દિવસે લુહાર સમાજના અને પત્રકાર વિનોદ મકવાણા પણ આરતીમાં ઉપસ્થિતિ રહ્યાં હતા અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.