ભારતના વડાપ્રધાનના ભાવનગર ખાતેના આગામી તા. ૨૯/૦૯/૨૦૨૨ના પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ શો રૂટ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ તથા બસ ડાયરેક્શન રૂટવાળા રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે તા. ૨૯/૦૯/૨૦૨૨ના રોજ કલાકઃ ૭-૦૦ થી કલાકઃ ૧૮-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર તમામ વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના) ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવાં વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્ર નં. એલઆઈબી/જા.ના./૪૫૧૫/ ૨૦૨૨, તા.૨૪/૦૯/૨૦૨૨થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર શ્રી બી.જે. પટેલે તા. ૨૯/૦૯/૨૦૨૨ના રોજ કલાકઃ ૭-૦૦ થી કલાકઃ ૧૮-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર પ્રવેશબંધી જાહેર કરી છે. જેમાં ઘોઘા સર્કલ-મેઘાણી સર્કલ-રબ્બર ફેક્ટરી સર્કલ-રાધા મંદિર-પ્લોટ ગેટ પોલીસ ચોકી-આતાભાઈ ચોક-રૂપાણી સર્કલ-ઘોઘા સર્કલ-રીલાયન્સ મોલ (આતાભાઈ રોડ)થી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતા રસ્તા સુધી-રૂપાણી સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો-ઘોઘા સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો. તેમજ મહિલા સર્કલ-ઘોઘા સર્કલ-રૂપાણી સર્કલ સુધી આવતા તમામ રસ્તા સંપૂર્ણ બંધ. તેમજ આતાભાઈ-સંસ્કાર મંડળ-રામમંત્ર મંદિર સુધીના રસ્તા. તેમજ પ્લોટ ગેટ પોલીસ ચોકી-પરીમલ ચોક-સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા-કાળીયાબીડ પાણીની ટાંકી સુધીના રસ્તા બંધ રહેશે. આ તમામ રસ્તે આવતા વાહનો માટેનો ડાયવરર્ઝન રૂટનું આયોજન કરાયું છે. જેમાં મોખડાજી સર્કલ-ટી.વી. કેન્દ્ર રોડ-લાલ બહાદુર શાત્રી સર્કલ-તિલકનગર-દિપક ચોક-શિશુવિહાર-ક્રેસંટ સર્કલ-હલુરીયા ચોક-નવાપરા ચોક-ભીડભંજન ચોક-કાળાનાળા સર્કલ-કાળુભા રોડ-ચિતરંજન ચોક-ડાયાભાઈ ચોક-જ્વેલ્સ સર્કલ-કાળીયાબીડ પાણીની ટાંકી-રામમંત્ર મંદિર-દુખીશ્યામ બાપા સર્કલ-લાલા બાપા ચોક-સરદારનગર-શિવાજી સર્કલ-સુભાષનગર ચોક સુધીના તમામ રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવાં માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરના જાહેરનામામાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मासिक आढावा बैठक/चर्चासत्र | आदरणीय आबासाहेब मोरे यांच्या उपस्थितीत | शनिवार, २३ सप्टेंबर, २०२३
🚩 श्री स्वामी समर्थ 🚩⚜️मासिक आढावा बैठक/चर्चासत्र⚜️🙏आदरणीय आबासाहेब मोरे यांच्या...
સુરેન્દ્રનગરનાં 76 માં સ્થાપના દિવસ પ્રસંગે જાણો સુરેન્દ્રનગરનો ઇતિહાસ
સુરેન્દ્રનગરનાં 76 માં સ્થાપના દિવસ પ્રસંગે જાણો સુરેન્દ્રનગરનો ઇતિહાસ
ડીસા પાટણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત
ડીસા પાટણ હાઈવે પર કારચાલક અને બાઈક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત..
ડીસા પાટણ હાઈવે...
સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં બે મહિલાઓ બાખડી@Sandesh News
સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં બે મહિલાઓ બાખડી@Sandesh News