ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા પંડીત દિનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૬ મી જન્મજયંતિ ઉજવવામાં આવી

આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના દરેક વોર્ડમાં તથા મહાનગર નાં મુખ્ય કાર્યાલય ખાતે પંડીત દિનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૬મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા.

 સાથે સાથે આજરોજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો મન કી બાત કાર્યક્રમ જુનાગઢ મહાનગર નાં દરેક વોર્ડમાં નિહાળવામાં આવ્યો હતો.

કાર્યાલય ખાતે મહાનગર પ્રમુખ શ્રી પુનિતભાઇ શર્મા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, ભાજપા અગ્રણી શ્રી નીરૂબેન કાંબલીયા, પુર્વ મેયર શ્રી આધ્યાશક્તિબેન મજમુદાર, પલ્લવીબેન ઠાકર, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડીયા, મહાનગર યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી મહામંત્રી વિનસ હદવાણી અભય રીબડીયા મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન વાડોલીયા મહામંત્રી ભાવનાબેન વ્યાસ શિતલબેન તન્ના તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.