વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં ૧ વ્યક્તિએ મોતની છલાંગ લગાવી: ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી
સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં ૧ વ્યક્તિએ મોતની છલાંગ લગાવી: ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી
કોમનવેલ્થ ગેમ્સ : હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું
કોમનવેલ્થ ગેમ્સ 2022 (કોમનવેલ્થ ગેમ્સ 2022)માં ગુજરાતે ડંકો વગાડ્યો છે. ગુજરાતના હરમિત દેસાઈએ...
अब 'Bigg Boss 16' में भी नजर आएंगी कांटा लगा गर्ल, एंट्री को लेकर शेफाली जरीवाला ने दिया ये बयान
सलमान खान के धमाकेदार शो बिग बॉस 16 ने टीवी के साथ-साथ टीआरपी लिस्ट में भी जगह बनानी शुरू कर दी...