પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત તા.૩૦ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બનાસકાઠા જિલ્લામાં આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્તનું  આયોજનના ભાગે આ કાર્યક્રમ હેઠળ પોરબંદર જિલ્લાના ૦૭ ગામોમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોના લોકાર્પણ કરાશે જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

જે અંતર્ગત કુતિયાણા તાલુકાના ૦૫ ગામો તથા પોરબંદર તાલુકાના ૦૨ ગામોમાં આવાસોના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું સુચારુ આયોજન તથા સંબંધિત કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ સાત ગામોમાં ટુકડા-ગોસા, ભારવાડા, ફરેર, ઇશ્વરીયા,રોઘડા, ચોલીયાણા તથા માલણકા ગામોનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ પહેલા તા.૨૭,૨૮ અને ૨૯ના રોજ સ્વચ્છતા અંતર્ગત વિવિધ પ્રવૃતિ હાથ ધરાશે.