તા/૨૩/૦૯/૨૦૨૨ ના રોજ સુન્ની મુસ્લિમ ફકીર સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહ ફકીર સમાજના સેન્ટર હોલમાં યોજવામાં આવ્યો હતો આ સન્માન સમારોહ ફકીર સમાજના આગેવાન ભિખાબાપુ તેમજ ટ્રસ્ટી પ્રમુખ શ્રી રજાક બાપુ ની અધ્યક્ષતા માં યોજવામાં આવ્યો હતો ફકીર મુસ્લિમ સમાજના ભિખાબાપુ એ તથા રજાક બાપુ એ તથા અલારખબાપુ એ જોખિયા આરિફભાઈનુ શાલ તથા ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું રાજુલા થી પધારેલ આરિફભાઈ , મુતૃઝા ચૌહાણ, રહીમભાઈ કનોજીયા, ઈરફાનભાઈ ગોરી, કુરેશી રશુલભાઈ, વિગેરે નું પણ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં તુર્કી જમાતના આગેવાન હનિફભાઈ પટેલ, અયુબ ભાઈ દરબાન, પત્રકાર શ્રી કિશોરભાઈ આર. સોલંકી, ઘોરી સાહેબ , તથા બોહળી સંખ્યામાં ફકીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્રે નોંધવું જરૂરી છે કે સમસ્ત મુસ્લિમ સમાજના રાજુલાના પ્રમુખ આરિફભાઈ જોખિયા જેઓ ગરીબોનાં બેલી મસીહા ને દાનવીર વ્યક્તિ છે. ગરીબો તેમજ જરૂરીયાતમંદોના અરધી રાતનો હોંકારો છે. તેઓએ નાત જાતના ભેદભાવ રાખ્યા વિના તેઓનો એક્જ મંત્ર માનવ સેવા એજ પ્રભુ સેવા નો જીવન મંત્ર છે. અને સર્વ સમાજ માટે એમ્બ્યુલન્સ ભેટ આપેલ છે. તેઓ ગરીબો તેમજ જરૂરીમંદોના ભામાશા વ્યક્તિ છે. તેઓએ તેમના પ્રત્યુંતરમાં જણાવેલકે કોઈ પણ સમાજના જરૂરીયાતમંદ વ્યક્તિ ગમેત્યારે મારો સંપર્ક કરી શકે છે. લોકોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં અંતમાં આભાર વિધિ શ્રી એચ.એમ.ઘોરી સાહેબે કરી હતી સૌ સાથે અલ્પ આહાર લેવામાં આવ્યો હતો કાર્યક્રમ રંગેચંગે પુરો થયો હતો